home share

કીર્તન મુક્તાવલી

(૧) જે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપણે રે

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

એવું બીજું કોણ દયાળ

તા. ૧૯૭૨/૨૦/રના રોજ કંડારીમાં ૫૬ પધરામણીઓ બાદ સ્વામીશ્રી શાહપુરને લાભ આપતાં સલાડ પહોંચ્યા.

અહીં રાત્રિસભા બાદ તેઓ ઉતારે પધાર્યા ત્યારે સાડા અગિયાર વાગેલા. તે સમયે પણ તેઓની કર્મઠતા હજી જાગતી હતી. તેથી પત્રવ્યવહારની સેવા સંભાળતાં પાર્ષદને કહ્યું, “લાવો, પત્ર વાંચી લઈએ.”

તે વખતે ઓરડામાં એક હરિભક્ત દૂર બેસીને દર્શન કરી રહેલા. પત્ર વાંચતાં વાંચતાં જ સ્વામીશ્રીએ અચાનક તે ભક્તને પૂછ્યું, “લીંબુ હશે?”

“જોઈ આવું.” એમ કહીને તે તપાસ કરી આવ્યા અને હાથ જોડીને કહ્યું, “બાપા! લીંબુ ઘેર તો નથી પણ વાડીએથી મળી રહેશે.”

“તો જાઓ, લઈ આવો.”

આ વાત સાંભળી પત્ર-પરિચારક પાર્ષદને આશ્ચર્ય થયું કે: “સ્વામીશ્રીએ આટલી મોડી રાતે લીંબુ કેમ મંગાવ્યાં હશે?!”

પણ તેટલામાં જ સ્વામીશ્રીએ પેલા હરિભક્તને કહ્યું, “લીંબુ લાવીને આ ભગતને આપજો. એમને ઉપવાસ છે તે કાલે પારણાં કરવા થાય ને!”

આ સાંભળતાં જ પાર્ષદ તો દિગ્મૂઢ બની ગયા! તેઓને અત્યારે ખ્યાલ આવ્યો કે સ્વામીશ્રી તેઓ માટે અડધી રાત્રે હરિભક્તને દોડાવી રહ્યા છે! તેથી તેઓએ કહ્યું, “બાપા! મારે તો ચાલશે. હું છાશ પી લઈશ.”

“ના, એમ ન ચાલે. પારણાંમાં લીંબુનું શરબત સારું પડે.” સ્વામીશ્રીના શબ્દે શબ્દે સ્નેહ અને સંભાળ નીતરી રહ્યાં.

હરિભક્ત તો આજ્ઞા થતાં મધરાતે વાડીએ પહોંચ્યા. લીંબુ લઈને પોણો કલાકે પાછા આવ્યા ત્યાં સુધી સ્વામીશ્રી પત્રલેખન કરતા રહ્યા. હરિભક્તે લીંબુ લાવીને પેલા ભગતના હાથમાં મૂક્યા ત્યારે પત્રલેખન સમેટતાં સ્વામીશ્રી બોલ્યા, “ચાલો, હવે આરામમાં જઈએ.”

આમ કહી તેઓ તો નિદ્રાધીન થયા પરંતુ આ દૃશ્ય જોનારા સૌની ઊંઘ ઊડી ગઈ. તેઓ ક્યાંય સુધી સ્વામીશ્રીના પ્રેમપ્રદેશમાં વિહરતા જ રહ્યા! તેમાં સતત પડઘા પડી રહેલા કે – ‘વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનની રે, એવું બીજું કોણ દયાળ, કાં રે મનાય નહીં મનને રે...’

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ભાગ ૨/૧૦૨]

(1) Je je Harie karyu het evu kare koṇ āpṇe re

Sadguru Nishkulanand Swami

Who Else is More Compassionate?

On February 20, 1972, Pramukh Swami Maharaj blessed 56 homes of devotees, graced Shahpur, then arrived in Salād. Here, when he arrived at the residence for the night after the evening sabhā, it was 11pm. Instead of sleeping, Swamishri asked for his letters to be brought. At that time, one devotee was sitting at a distant in the room, engaged in darshan. While reading the letters, Swamishri unexpectedly asked, “Are there any lemons?”

“Let me check.” So saying, the devotee checked and came back to say, “Bapa, we have no lemons at home but they must be available at the orchard.”

“Good. Go get some.”

Hearing this dialog, the pārshad who was involved with keeping track of the letters thought: Why is Swamishri asking for lemons to be brought this late at night?

However, Swamishri said to the devotee before he left, “When you bring back the lemons, give them to this Bhagat. He will need them to break his fast tomorrow!”

Hearing this, the pārshad was surprised. He just realized that Swamishri was having a devotee run out in the middle of the night to bring lemons just for him. He said, “Bapa, I will be okay without lemons. I will drink buttermilk.”

“No. That will not do. When you break a fast, it is better to drink lemonade.” Swamishri’s words were soaked with affection.

The devotee left to fetch lemons in the middle of the night. He came back in 45 minutes when Swamishri was stilled reading letters. Only after the devotee handed the lemons to the Bhagat did Swamishri retire from reading letters and said, “Well now. Let’s go rest.”

So saying, Swamishri fell asleep. However, those who witnessed this incident were left sleepless. They were floating in the river of love in Swamishri’s heart. They heard echoes of the line: Vaḷī same same sambhāḷ, jāṇo kare harijan ne re...

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/102]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase